તારીખ ૧૪.૦૯.૨૦૧૯ ના રોજ દાહોદ જિલ્લાના ૭ તાલુકાઓની કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે

દાહોદ તા.૩૦

એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર  તારીખ ૧૪.૦૯.૨૦૧૯ ના રોજ દાહોદ જિલ્લાના ૭ તાલુકાઓની કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ લોક અદાલતમાં પેન્ડીંગ કેસો વિગેરે જેના કેસોનું સમાધાન તેમજ  કરવામાં આવશે.

નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ ન્યુ દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમાં ચેરમેન અને મહે.જ્યુડીશીયલ સાહેબના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારીઆ, લીમખેડા, ઝાલોદ, ગરબાડા,  ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટમા ંતારીખ ૧૪.૦૯.૨૦૧૯ને શનિવારનાં રોજ સવારના ૧૦ ઃ ૩૦ કલાકે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કેર્ટમાં ચાલતા ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ - ૧૩૮ હેઠળના કેસો, બેંક રિકવરી વળતના કેસો, વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તેમજ દરખાસ્તો સહિત, કૌટુÂમ્બક તેમજ લગ્ન જીવનને લગતાં કેસો, શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઈટ બીલના કેસો (ચોરી સિવાયના કેસો), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેંક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે. વધુમાં ઉપરોક્ત જણાવેલ કેસોમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી  હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય.  પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાંં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલએ સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!