દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.૪૨,૩૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક સોસાયટીના રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મકાનમાંથી રોકડા રૂપીયા તેમજ સોના - ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૪૨,૩૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ ઝાલોદ નગરમાં આવેલ સર્વાેદય સોસાયટીમાં રહેતાં મનોજભાઈ ધુળાભાઈ ખાંટના બંધ મકાનમાં રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો. મકાનમાં મુકી રાખેલ શો - કેસમાંથી ચાંદીનો કંદોરો, આંકડો, વીછુડી, ચાંદીના સિક્કા તથા કાનમાં પહેરવાની બુટ્ટી તથા સોનાની શેર તથા રોકડા રૂપીયા મળી તસ્કરોએ કુલ રૂા. ૪૨,૩૦૦ની મત્તાનો હાથફેરો કરી નાસી જતાં આ સંબંધે મનોજભાઈ ધુળાભાઈ ખાંટે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

