દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.13

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાજર ગામે એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા તે સમયે રસ્તામાં એક કૂતરું આવી જતા મોટરસાયકલ સ્લીપ ખાઇ ગઇ હતી જેને પગલે ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળે છે.

ગત તારીખ ૨૭મી માર્ચના રોજ દેવગઢબારિયા નગરના કાપડી વિસ્તાર ખાતે રસીદ ફળિયામાં રહેતા બિલાલભાઈ ઈસ્માઈલભાઈ પટેલ પોતાના કબજાની મોટરસાયકલ લઈ ઘોડાજર ગામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક રસ્તાની વચ્ચે એક કૂતરો આવી જતા બિલાલ ભાઈએ મોટરસાયકલ પરના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઇ ગઇ હતી જેને પગલે બિલાલભાઈ મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા અને તેઓને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ગતરોજ બિલાલ ભાઈનું મોત નિપજતા આ સંબંધે દેવગઢબારિયા નગરના કાપડી વિસ્તાર ખાતે રસીદ ફળિયામાં રહેતા શહેજાદભાઈ અબ્દુલસત્તાર પટેલ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!