મામલતદાર, ઝાલોદ દ્વારા બોનીબેન કન્યાશાળાની બાલિકાઓ સાથે મધ્યાહન ભોજન લીધું
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૧
ગઈકાલે કોરોના બાદ આશરે બે વર્ષ બાદ શાળાઓમાં મધ્યાહન ભોજન ગઈકાલે શરૂ થયું હતું, જેમાં આખા જિલ્લામાંથી તમામ અધિકારીઓએ MDM શરૂ થયું કે કેમ? એ માટે શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં પ્રાંત સાહેબે પણ ઝાલોદ તાલુકાની શાળાઓમાં મુલાકાત લીધી હતી અને બાળકો ને ગુજરાત સરકાર ની મધ્યાહન ભોજન યોજના નો લાભ બરાબર મળે છે કે નહીં પૌષ્ટિક આહાર મળે છે કે નહીં તેની તપાસ કરી અને કન્યા શાળાની બાલિકાઓ સાથે ભોજન કરી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો

