દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતને બનેલા બે બનાવોમાં એક મહિલા સહિત બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના મોટીઝરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૪ મેના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે રહેતાં રમેશભાઈ ચુનીલાલ મકવાણાએ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં અંજનાબેન તથા કાનજીભાઈ સામજીભાઈ બારીયા (બંન્ને રહે. ફુલપુરા, તળ ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને બેસાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ફોર વ્હીલર ગાડી રસ્તાની સાઈડમાં આવેલ નાળાની દિવાસ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે અંજનાબેન તતા કાનજીભાઈને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અંજનાબેન કાનજીભાઈ બારીયાનું મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે તળ ફળિયામાં રહેતાં જાેરસીંગભાઈ કલસીંગભાઈ બારીઆએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના નવાગામ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨ મેના રોજ દાહોદ તાલુકાના લીમડાબરા ગામે ગામતળ ફળિયામાં રહેતાં અંકિતભાઈ રમેશભાઈ લબાના પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નવાગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં અંકિતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને પ્રાથમીક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યા તેઓની સ્થિતી નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન ગતરોજ અંકિતભાઈનું મોત નીપજતાં આ સંબંધે દાહોદ તાલુકાના લીમડાબરા ગામે ગામતળ ફળિયામાં રહેતાં અમરસીંગભાઈ ઓકારભાઈ લબાનાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!