દાહોદ તાલુકાના નવાગામેથી એક ૧૬ વર્ષીય સગીરાનું અપહર
દાહોદ તા.૦૫
ફતેપુરા તાલુકાના નવાગામ ખાતે એક યુવક દ્વારા ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના નવાગામ ખાતે રહેતા શૈલેષભાઈ હિરાભાઈ પારગીએ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્ન કરવાની લાલચ આપી ગત તા.૨૯.૦૯.૨૦૧૯ના રોજ તેના ઘરેથી અપહરણ કરી લઈ નાસી જતા આ સંબંધે સગીરાના પિતાએ ફતેપુરા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
