વિશ્વ આદિવાસી દિવસ – રાજ્યકક્ષાની ઉજવણી – દાહોદ : વિશ્વ આદિવાસી દિવસનું ઉજવણી સ્થળ ત્રિરંગાની થીમ સાથે દિપી ઉઠ્યું : ઝાલોદ ખાતેના કાર્યક્રમ સ્થળને આદિવાસી સંસ્કૃતિની ઝલક તેમજ ત્રિરંગાની થીમ સાથે સજાવાયું

દાહોદ તા.૦૯

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે આ માટે સભાસ્થળ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અહીંના સભાસ્થળને ત્રિરંગાની થીમ સાથે સજાવવામાં આવ્યું છે. સાથે આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ નિહાળવા મળી રહી છે.
આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા અભિયાન રાષ્ટ્રિયસ્તરે લોકોમાં દેશભક્તિનો સંચાર કરી રહ્યું છે ત્યારે ઝાલોદ ખાતેનું સભાસ્થળ ત્રિરંગાની થીમ સાથે કેસરી, સફેદ અને લીલા રંગ સાથે સજાવતા મનમોહક બન્યું છે. અહીંના આદિવાસી બંધુઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આદિવાસી સંસ્કૃતિ અને ત્રિરંગાની થીમ સાથે સ્થળને સજાવવામાં આવતા લોકોમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!