ગરબાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. જે.એલ પટેલ દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૬

વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો .આ વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે . ત્યારે દશેરા પર્વ નિમિત્તે ગરબાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. જે.એલ પટેલ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી . તેમજ સૌ લોકોને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી . આ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યાં હતાં . ગરબાડા ના પી.એસ.આઈ. અને સ્ટાફના દ્વારા પારંપરિક રીતે શસ્ત્ર પૂજા કરી હતી . અત્રે ઉલ્લેખનિય છે કે , પોલીસ દળમાં વિજયા દશમી પર શસ્ત્ર પૂજાની જૂની પરંપરા છે . જેમાં શસ્ત્રોની પૂજા કરીને કાયદાની રક્ષા પ્રતિ સંકલ્પ લેવામાં આવે છે . આ કાર્યક્રમ ગરબાડા પોલીસ સ્ટેશન તથા જેસવાડા પોલીસ સ્ટેશન ખાતે પણ યોજવા માં આવ્યો હતો જેમાં જેસવાડા ના ॅજૈ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું હતું આ ઉપરાંત ગરબાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. જે.એલ.પટેલ દ્વારા સૌ લોકોને વિજયા દશમીની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!