યુવકના મોતને મામલે ફરીયાદ ન દાખલ કરાતાં સુખસર પોલીસ મથકે પરિવારજનોનો હોબાળો
દાહોદ તા.૧૯
ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામના યુવક ઈજાગ્રસ્ત હાલમાં ભાટ મુવાડી ગામેથી મળી આવ્યો હતો જેને બલૈયા ફતેપુરા દાહોદ અને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જેમાં શુક્રવારની સાંજે તેનુ મોત નીપજ્યુ હતુ જે બાબદે સુખસર પોલીસ મથકમાં ફરીયાદ આપવા જતાં ફરિયાદ લેવાની બાબતે પરિવારજનો અને પોલીસ વચ્ચે હોબાળો થયો હતો. જમાદારે મૃતકના પિતાને ગાળો બોલી ધમકાવ્યા હોવાની ચર્ચાઓથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામના રંગજી હકા બારીયા ઉંમર ૨૨ વર્ષ જે ઈજાગ્રસ્ત હાલતમાં દશ દિવસ અગાઉ ભાટ મુવાડી ગામેથી મળ્યો હતો જેને બલૈયા ફતેપુરા દાહોદ બાદ અમદાવાદ સિવિલ હોÂસ્પટલ લઈ જવાયો હતો. સારવાર બાદ તબીબે ના પાડી દેતા ઈજાગ્રસ્ત યુવકને લઈ પોલીસ મથકે ફરિયાદ આપવા આવ્યા હતા અને શુક્રવારે રાત્રીના સમયે તેનુ મોત નીપજ્યુ હતુ. આ બાબતે પરિવારજનો દ્વારા લાશ સુખસર પોલીસ મથકે મુકી દેવાઈ હતી અને ફરિયાદ આપવા જતાં પોલીસ અને પરિવારજનોમાં રોષ પ્રગટ થયો હતો જેને લઈને હોબાળો થયો હતો. પરિવારજનો દ્વારા શુક્રવારે ફતેપુરા પોલીસ મથકે ગયા હતા પરંતુ અમારી હદમાં આવતુ નથી, તેમ કહી સુખસર પોલીસ મથકે મોકલ્યા હતા જ્યા ફરીયાદ લેવામાં આવી ન હોવાનુ પરિવારજનોએ જણાવ્યુ હતુ. આ ઘટનાને પગલે પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

