જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર
સિંધુ ઉદય
દાહોદ, તા. ૨૫ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને તેઓના મત વિસ્તાર પુરતા તા. ૨૯ નવેમ્બર થી તા. ૫ ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર આપવા હુકમ કર્યો છે.


