કલેકટરની અધ્યક્ષતામાં કરૂણા અભિયાન અંગે સંકલન સમિતિની બેઠક યોજાઈ
નરેશ ગનવાણી બ્યરોચિફ – નડિયાદ
કલેકટરની અધ્યક્ષતામાં કરૂણા અભિયાન અંગે સંકલન સમિતિની બેઠક યોજાઈ
કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કરૂણા અભિયાન-૨૦૨૩ની સંકલન સમિતિની બેઠક યોજાઈ. કલેકટર એ તમામ અધિકારીઓને જણાવ્યું કે, કરૂણા અભિયાન એ ગુજરાત સરકારનુ ખુબ જ સંવેદનશીલ અભિયાન છે. સરકાર પક્ષીઓની પણ ખુબ જ દરકાર લઇ રહી છે. સંકલન બેઠકમાં બેઠેલા તમામ અધિકારીઓને કલેકટર એ વિનંતી કરી કે ખેડા જિલ્લામાં કોઈ પણ પક્ષીનું મૃત્યુ ન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી સૌ અધિકારીઓની છે. સાથોસાથ કલેકટરએ એન.જી.ઓના સ્વંયસેવકોથી વાત કરી તેમને માર્ગદર્શન આપ્યું. કલેક્ટરએ લોકોમાં કરુણા અભિયાનની જાગૃતિ માટે ગ્રામસભ,સ્કૂલ,કોલેજો, અને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું જેથી લોકોમાં કરૂણા અભિયાન અંગે જાગૃતિ આવે અને લોકો વધુ સભાન બને. વધુમાં કલેક્ટરએ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરી કે ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલને ન ખરીદે. પોલીસ પ્રસાશનને પણ સૂચના આપી કે જો કોઈ વ્યાપારી આ ચાઈનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલનો વ્યાપાર કરતો હશે તેના પર સખ્ત પગલાં લેવામાં આવશે.જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ વનવિભાગના સ્ટાફ સાથે સંકલનમાં રહીને ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, પ્લાસ્ટિક દોરીનો ગેરકાયદેસર વેપાર કરતા વ્યાપારીઓને ત્યાં દરોડા પાડીને તેમની સામે નિયમસર કાયદેસરની કાર્યવાહી પોલિસ દ્વારા કરવામાં આવી છે. ડેપ્યુટી કનઝર્વેટીવ ફોરેસ્ટ અધિકારી ટી.કરુપાસ્વામી એ જણાવ્યું કે જિલ્લામાં ૧૦/૦૧/૨૦૨૩ થી ૨૦/૦૧/૨૦૨૩ સુધી કરૂણા અભિયાન ચાલશે તે સંદર્ભે જિલ્લામાં જો કોઈ પક્ષીને ઇજા થાય તેવા સંજોગોમાં જિલ્લામાં ૮ કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ૮૭ સ્ટાફને કરૂણા અભિયાનમાં ડ્યુટી આપવામાં આવી છે. ૧૦ એન.જી.ઓ અને ૬૦



