પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરવામાં આવ્યો.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

જિલ્લા કલેક્ટર  કે.એલ. બચાણીની પતંગની દોરીના નિકાલ અંગેની અપીલના અનુસંધાને પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ખેડા મામલતદારની આગેવાનીમાં સરકારી કચેરીઓના મકાનોમાં ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરવામાં આવ્યો. આ કાર્યમાં મામલતદાર કચેરી, પોલિસ વિભાગ, નગરપાલિકા સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ અને શહેરના જાગૃત નાગરીકોએ જોડાઈને મોટા જથ્થામાં આવી દોરીઓને એકત્રિત કરી તેનો નાશ કર્યો હતો. જિલ્લાના તમામ જીવોની સુખાકારી માટે હર હમેશ ચિંતિત જિલ્લા કલેક્ટર  બચાણીએ પક્ષીઓને માળા બનાવવામાં કોઈ તકલીફ ન પડે અને ભૂલથી પણ કોઈ પક્ષી પતંગ કે દોરાના ગુંચડામાં ફસાય નહિ તેની કાળજી લેતા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની આસપાસના ઝાડ, રસ્તા, એપાર્ટમેન્ટ, ગલી, મહોલ્લાઓમાં પડી રહેલ દોરીઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે ઉતરાયણ તહેવાર પછી આ પ્રકારની લટકતી દોરીઓથી ખાસ કરીને દ્વી-ચક્રી વાહન ચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પણ ઈજા થવાનું જોખમ રહેતું હોય છે માટે તેનો યોગ્ય નિકાલ આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!