દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.

નીલ ડોડીયાર

દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા શહેરમાં ભગવાનશ્રી વિશ્વકર્માજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને વિશેષ રૂપે મહિલા મંડળના રાશ, ગરબાએ રમઝટ બોલાવી હતી.

શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં આજરોજ પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા દાહોદ શહેરમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર, ચેતના સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેશર દુધથી અભિષેક, ભગવાનનું પુજન, અલ્પાહાર, શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા બપોરે ૧૨.૧૫ કલાકે નીજ મંદિરેથી નીકળી શહેરના વિવિધ માર્ગાે પર ફરી હતી. શોભાયાત્રામાં બાળકોથી લઈ મહિલાઓ, પુરૂષો, વયોવૃધ્ધ તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. શોભાયાત્રામાં મહિલા મંડળના રાશ, ગરબાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવી રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા બાદ પ્રાસંગિક પ્રવચન, ધજાઆરોહણ, થાળ તથા મહાઆરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આમ, દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ધાનધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!