દાહોદ જિલ્લામાં ૧૧ ફે્બ્રુઆરીએ યોજાશે નેશનલ લોક અદાલત
સિંધુ ઉદય ન્યુસ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં આગામી તા.૧૧ ફેબ્રુઆરી શનીવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હીના આદેશથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમા ચેરમેન અને જયુડી. મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને આ લોક અદાલત યોજાશે.

