વિશ્વ સામે ઉર્જાની વૈકલ્પિક વ્યવસ્થાઓના પડકાર સામે ગુજરાતના પ્રતિભાશાળી અધ્યાપકોની ગ્રીન એસી સિસ્ટમનો ઉપાય
સિંધુ ઉદય
અધ્યાપકોની ‘‘ગ્રીન એર કન્ડિશનિંગ સિસ્ટમ’’ ત્રણ વર્ષની ભારે જહેમત-સંશોધન બાદ પેટન્ટ માટે અરજી
રૂઢિગત એસી કરતા ૨૯ ટકા ઓછી જરૂરીયાત અને સૂર્યઉર્જાથી સંચાલિત ગ્રીન એર કન્ડિશનિંગ સિસ્ટમ
વિશ્વ સામે વધતા પર્યાવરણ પ્રદૂર્ષણ અને ઉર્જાની વૈકલ્પિક વ્યવસ્થાઓના પડકાર છે ત્યારે દાહોદનાં સરકારી ઇજનેરી કોલેજ તેમજ વડોદરાના પારૂલ યુનિવર્સીટીના અધ્યાપકોએ ‘‘ગ્રીન એર કન્ડિશનિંગ સિસ્ટમ’’ ત્રણ વર્ષની ભારે જહેમત અને સંશોધન બાદ શોધ કરીને ગર્વનમેન્ટ ઓફ ઇન્ડિયાને પેટન્ટ રજીસ્ટર કરવા માટે અરજી કરી છે. જેને માન્ય પણ રાખવામાં આવી છે. આ સીસ્ટમની ખાસિયત એ છે કે રૂઢિગત રીતે ઉપયોગમાં લેવાતા વીસીઆર એર કન્ડિશનિંગ કરતા તેમાં ૨૯% ઓછી એનર્જીની જરૂરીયાત રહે છે તેમજ તે સૂર્ય શક્તિથી સંચાલિત છે.સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ફરજ બજાવતા ડો. જાની દિલીપ બટુકરાય અને ડો. મોહસીન જે. દડી, પારુલ યુનિવર્સીટી વડોદરા દ્વારા ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન એપ્લીકેશન “હાયબ્રીડ સોલિડ ડેસીકેન્ટ એપેરેટસ વિથ એર કન્ડિશનિંગ સિસ્ટમ બાય યુસીન્ગ ઈવેક્યુએટેડ ટ્યુબ સોલાર કલેકટર” પેટન્ટ ઓફિસ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ એસ.ઓ.આઈ.સી. સ્કીમ અંતર્ગત ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી (જીટીયુ), અમદાવાદ દ્વારા પારુલ યુનિવર્સીટી, વડોદરા ખાતે ફંડેડ છે.
ડો. જાની તેમજ ડો. મોહસીન ખૂબ જ પ્રતિભાશાળી અધ્યાપકો છે. જેમણે પોતાના અભ્યાસ, અનુભવ થકી પોતાના રસના વિષયમાં ખંતપૂર્વક આ ગ્રીન એસીની સિસ્ટમની શોધ કરી છે. આ શોધ માટે આમ તેમની ત્રણ વર્ષની મહેનત છે. પણ તેનો અનુભવ અને અભ્યાસ જીવનભરનો કામે લગાડયો છે.ઉક્ત ડિઝાઇન પ્રોજેક્ટ “ઇનોવેટિવ ડેસીકેન્ટ ડીહયૂમીડીફીકેશન એન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ” ઉપર આધારિત છે. રૂઢિગત રીતે ઉપયોગમાં લેવાતા વીસીઆર એર કન્ડિશનિંગ કરતા તેમાં ૨૯% ઓછી એનર્જી ની જરૂરીયાત રહેછે તેમજ તે સૂર્ય શક્તિથી સંચાલિત છે. તેથી તેને “ગ્રીન એર કન્ડિશનિંગ” પણ કહેવામાં આવે છે. આ ડિઝાઇન પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આશરે ત્રણ વર્ષનો સમય થયો છે.ડેસીકેન્ટ ભેજશોષક આધારિત કુલીગ સિસ્ટમ વિશે વિગતે વાત કરતા ડો. દિલીપ જણાવે છે કે, વાતાવરણના કુલિગ માટે સામાન્ય રીતે પરંપરાગત વપરાતા વેપર કમ્પ્રેશન કુલીંગ સિસ્ટમમાં એક જ કુલીગ કોઇલ દ્વારા ભેજ શોષક તથા કુલીંગ ઓપરેશન્સ કરવામાં આવતું હોવાથી તેમજ ઇલેક્ટ્રિસીટીનો વપરાશ ધરાવતા કંમ્પ્રેશરનો ઉપયોગ થવાથી વીજળી બીલ વધારે આવે છે. તેમજ વાતાવરણમાં પ્રદૂષણના ફેલાવવાથી ગ્લોબલ વોર્મીગનો ખતરો રહે છે. આના વૈકલ્પિક સ્વરૂપે ડેસીકન્ટ ભેજશોષક આધારિત કુલીંગ સિસ્ટમનો ઉપયોગ કરવાથી ભેજશોષક દ્વારા સૌપ્રથમ ભેજ દૂર કરવાથી સુકી હવાને વધારે તાપમાને કુલીગ કરવામાં આવતા પડતર એનર્જી ખર્ચ આશરે ૨૯ ટકા જેટલો પરંપરાગત કુલીગ કરવા કરતા ઓછો આવે છે.
તેઓ જણાવે છે કે, તેને ગ્રીન કુલીગ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમાં સૌર્ય આધારિત ઉર્જાનો કલેક્ટર દ્વારા સંચય કરીને રીજનરેશન માટે ઉપયોગમાં લઇ શકાય છે. આથી આઇનોવેટીવ કુંલીગ મોટા કેપીસીટી માટે અસરકારક સાબિત થયા છે. ડેસીકેન્ટ ભેજશોષક કે જે સીલીકા જેલ, મોલીકયુલર સાઇલ, મેટલ સીલીકેટ જેવા ડેસીકેન્ટ રસાયણોમાંથી બનાવવામાં આવે છે. જે પોતાના વજન કરતા ૧૦૦૦૦ ટકા ભેજ શોષવાની ક્ષમતા ધરાવે છે. ભેજશોષક પાર્શીયલ પ્રેશરના ડાલ્ટનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જેમાં ભેજવાળી હવાને સૂકા ડેસીકેન્ટ ઉપરથી પસાર કરવાથી ડેસીકેન્ટનું પ્રેશર સૂકા વાતાવરણમાં ઓછું હોય છે. આથી ભેજ નેચરલી ભેજવાળી હવામાંથી દૂર થઇ પ્રેસર ડેસીકેન્ટને લીધે ડેસીકેન્ટની સપાટી ઉપર જમા થાય છે. અને બીજા છેડે બહાર નીકળતી હવા સૂકી હોય છે અને તેને જરૂરીયાત પ્રમાણે કુલીગ કરવામાં આવે છે. ગરમ હવાનું તાપમાન ૮૦ થી ૧૦૦ સેન્ટીગ્રેડ રાખવામાં આવે છે. તેથી ઉપરથી વિપરીત ભેજ, ભેજશોષકમાંથી હવામાં ટ્રાન્સફર થાય છે. જેને એક્સોસ તરીકે ખુલ્લી હવામાં દૂર કરવામાં આવે છે અને ભેજશોષક પૂર્વવત કાર્યરત થઇ જાય છે અને સાયકલ દ્વારા સતત કામ આપે છે.
ડૉ . ડી .બી . જાનીનો પરિચય : –
ડૉ . ડી .બી . જાની, હાલ સહ પ્રાધ્યાપક તરીકે સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ફરજ બજાવે છે. તેમણે પોતાનો પી. એચ. ડી. નો અભ્યાસ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, રૂરકી ખાતેથી પૂર્ણ કર્યો છે. તેમણે મિકેનિકલ ઇજનેરીના થર્મલ વિભાગના જુદા જુદા ક્ષેત્રો ઉપર ૨૦૦ રિસર્ચ પેપરો નેશનલ અને ઇન્ટર નેશનલ જર્નલોમાં પ્રકાશિત થયા છે. મેકેનિકલ ઇજનેરીને લગતા ૮ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમના સુપરવિઝન હેઠળ ૨ વિદ્યાર્થીઓએ પી.એચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ૫ વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે. તેઓ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા રેકોગ્નિઝડ પી.એચ.ડી ગાઈડ છે. સોલિડ ડેસીકેન્ટ કૂલીંગ, એકર્જિ એનાલિસિસ, થર્મલ સિસ્ટમ ડીસાઈન, ટ્રાન્સિસ વિગેરે રિસર્ચ એરિયામાં કામ કરે છે. તેઓ ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત જર્નલો સાથે રીવ્યુઅર અને એડિટર તરીકે પણ સંકળાયેલા છે.
ડો. મોહસીન જે. દડીનો પરિચય : –
ડો. મોહસીન જે. દડી હાલમાં પારૂલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માંથી ૨૦૨૨ માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટર ઓફ ફિલોસોફી (phd.) અને IPR માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો હતો. તે રજિસ્ટર્ડ ભારતીય પેટન્ટ એજન્ટ પણ છે. તેઓ ને PGDIPR કોર્સ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલિસ્ટ તરીકે પણ એનાયત થશે. તેમણે તેમના સંશોધન કાર્ય માટે SSIP, ગુજરાત તરફથી ૨ લાખની ગ્રાન્ટ પ્રાપ્ત કરી હતી.
તેમની પાસે અંડરગ્રેજ્યુએટ લેવલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ અધ્યાપનનો લગભગ ૧૩ વર્ષનો શૈક્ષણિક અનુભવ છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ ૧૭ સંશોધન લેખો રજૂ કર્યા હતા અને પ્રકાશિત કર્યા હતા. તેમણે પ્રતિષ્ઠિત મેગેઝીનમાં ૫ લેખો પણ લખ્યા હતા. તેમણે ભારતમાં બે પેટન્ટ માટે અરજી કરી હતી. તેમાંથી એક પેટન્ટ પ્રકાશિત થઈ ગઈ છે અને બીજી પ્રક્રિયા હેઠળ છે. તેમણે ૫ ઔદ્યોગિક ડિઝાઇન પણ લાગુ કરી હતી જેમાંથી ૪ ભારતીય પેટન્ટ ઓફિસ તરફથી મંજૂર કરવામાં આવી છે અને એક પ્રક્રિયા હેઠળ છે. તેમણે આંતરરાષ્ટ્રીય પ્રકાશકમાં ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતા.
તેઓ પારુલ યુનિવર્સિટીમાં નોંધાયેલ પીએચડી ગાઈડ છે અને પીએચડી માટે બે રિસર્ચ સ્કોલરને પણ માર્ગદર્શન આપે છે. તેઓ સોલિડ ડેસીકન્ટ એર કન્ડીશનીંગ, સોલાર એનર્જી, નેનો ટેક્નોલોજીમાં તેમનું સંશોધન કરી રહ્યા છે.


