ડાકોરના લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલી બાળકીનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યું

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ડાકોરના લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલી બાળકીનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યું

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો લોકમેળો ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ  મંદિર પરિસર ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે આ લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલ એક બાળકીનો પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું છે.ડાકોર ખાતે ચાલી રહેલ ફાગણી પૂનમ પર્વના મેળામાં આવતા દર્શનાર્થીઓને પૂરતી પોલીસની મદદ મળી રહે તે માટે  પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ વી ચંદ્રશેખર તરફથી તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી. આર. બાજપાઈએ ખેડા જિલ્લાનાઓ દ્વારા ખાસ સુચના કરવામાં આવ્યું હતું. જે અંગે ડાકોર પૂનમ મેળામાં દર્શનાર્થે આવેલ ગેનીબેન અને ભેમાભાઈ રહેવાસી સણસોલી તાલુકો બાલાસિનોર ૧૩ વર્ષની બાળકી તેમની સાથે આવેલ જે વિખુટી પડી જતા તાત્કાલિક મંદિર સેક્ટર ૧ના બંદોબસ્ત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી. જી. પ્રજાપતિ, સી. પી. આઇ. કપડવંજ તથા પો.સબ.ઇન્સ. એસ. વી. ગોસ્વામી પેરોલ ફર્લો સ્કોડ નડિયાદ દ્વારા ભારે જહેમત ઉઠાવી શોધી કાઢી તેણીને પરિવાર સાથે મેળાપ કરાવતા અત્યંત ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કામગીરી બદલ આ પરીવારે ખેડા જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!