એકલવ્ય પ્રવેશ પરીક્ષા મેરીટમાં પસંદ પામેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – દિલીપકુમાર મકવાણા.

અજય સાસી

એકલવ્ય પ્રવેશ પરીક્ષા મેરીટમાં પસંદ પામેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – દિલીપકુમાર મકવાણા સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે જેમાં એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા એકલવ્ય પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સંજેલી – મોરા – સુખસર કેન્દ્રો પર તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓએ ખુબજ સારા માર્કસ સાથે ઉતીર્ણ થયેલ છે અને દર વર્ષેની જેમ ઝળહળતું પરિણામ મેળવેલ છે ત્યારે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી – સંગાડા અશ્વિનભાઈ સી અને રાજુભાઈ એસ. મકવાણા દ્વારા પ્રગતિના શિખરો પર કરો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આમ ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!