ફતેપુરા તાલુકાના સુખસર માળી ફળિયા ખાતે બળી ગયેલ એગ્રીકલ્ચર વીજ લાઈનની નવીન ડી.પી તાત્કાલિક મુકવા ખેડૂતોની માંગ.
શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
ફતેપુરા તાલુકાના સુખસર માળી ફળિયા ખાતે બળી ગયેલ એગ્રીકલ્ચર વીજ લાઈનની નવીન ડી.પી તાત્કાલિક મુકવા ખેડૂતોની માંગ-ફતેપુરાએમ.જી.વી.સી.એલ ખાતે ખેડૂતોની અનેક વાર રજૂઆત છતાં જવાબદારો દ્વારા ધ્યાન આપતું નહીં હોવાની ફરિયાદ.વીજ ડી.પી બળી જતાં ખેડૂતોની ખેતીમાં કરેલ મગ તથા ચાહટાની ખેતી સુકાઈ જવાના ડરથી ખેડૂતો પરેશાન. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ગ્રાહકો સામે જે વીજબિલની સમયસર ભરપાઈ કરાવવી,વીજ ચોરી કરતા લોકો સામે હજારો રૂપિયાનો દંડની વસુલાત કરવા અને વીજ બિલ ભરપાઈ નહીં કરતા લોકોના વીજ કનેક્શનનો તથા વિજમીટરો કાપવા સહિત આતંકવાદીને પકડવા જે રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે તેવી તટસ્થ વીજ ચેકિંગ કરવા જેવા કડક નિયમો બનાવ્યા છે. અને કસુર વારો સામે કાયદેસરના પગલાં ભરી હજારો રૂપિયા દંડની વસૂલાત પણ કરવામાં આવે છે.તેવીજ રીતે વીજ ગ્રાહકોને વીજ પ્રવાહ આપવા માટે નિયમો બનાવવા જોઈએ તે તંત્ર બનાવી શક્યું નથી.અને તેના લીધે વીજ પ્રવાહના ભરોસે બેઠેલા ખેડૂતો અને ધંધાદારીઓ નુકસાનીનો ભોગ પણ બનતા રહે છે. અને કોઈક કારણોસર વીજ પ્રવાહ બંધ થતાં તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના જવાબદારો આંખ આડા કાન કરી હોગા,ચલેગા ની નીતિ અપનાવી મનમાંની ચલાવતા હોવા નહીં ફરિયાદો પણ ઉઠે છે. તેવી જ રીતે હાલ સુખસરમાં માળી ફળિયા તોલ કાંટા પાસે આવેલ વીજ ડીપી છેલ્લા પચીસ દિવસથી બળી જતાં તેની અનેક વાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં નહીં આવતું હોવાનું જાણવા મળે છે.ત્યારે તે બાબતે ઉચ્ચ અધિકારી ઓએ તાત્કાલિક ધ્યાન આપી નવીન વીજ ડી.પી મુકવા તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સંતરામપુર રોડ તોલ કાંટા પાસે મૂકવામાં આવેલ વીજ ડી.પી ગત પચીસેક દિવસ અગાઉ વીજફોલ્ટના કારણે બળ.





