વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આદિવાસી દિવસ ઉજવાયો.

સંજય જસવાલ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી: સંતરામપુર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આદિવાસી દિવસ ઉજવાયો.9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2023ની આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યના રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ છે.વિશ્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અંતર્ગત સહાય વિતરણ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!