ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ તળાવમાંથી ડબલારાના અસ્થિર મગજના યુવાનની લાશ મળી આવી.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ તળાવમાંથી ડબલારાના અસ્થિર મગજના યુવાનની લાશ મળી આવી

ફતેપુરા તાલુકાના સુખસર પંથક માંથી અવાર-નવાર કુવાઓ અથવા તળાવ માંથી મૃત વ્યક્તિઓની લાશ મળી આવવાના અનેક કિસ્સા અગાઉ બની ચૂકેલા છે.જેમાં વધુ એક બનાવવા આજરોજ ફતેપુરા તાલુકાના ડબલારા ગામના એક આશરે ૩૫ વર્ષીય અસ્થિર મગજના યુવાનની લાશ મળી આવતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં સુખસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક યુવાનના પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં લાશને મોકલી આપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ડબલારા ગામના મહુડી ફળિયામાં રહેતા મિનેષભાઈ વેલીયાભાઈ બારીયા ઉંમર વર્ષ આશરે ૩૫ નાઓ માનસિક બીમારી બીમારી થી પીડાતા હતા.જેઓ બે દિવસ અગાઉ ઘરના કોઈ સભ્યને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.ત્યારે આજરોજ મિનેષભાઈ બારીયાની નીંદકાપૂર્વ તળાવમાંથી તરતી લાશ મળી આવી હતી.

જેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા સુખસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે છે લાશનું પંચનામા બાદ લાશને પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી હોવાનું જાણવા મળે છે.જ્યારે પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.અને રોક્કળ મચાવી મૂકી હતી.

ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!