દાહોદમાં કોરોના વાયરસના બે દર્દી સાજા થતાં રજા અપાઇ,૯ એક્ટિવ કેસ
દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૯ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૦ વર્ષીય કંકુબેન દેવધા અને ૨૮ વર્ષીય શિરીનબેન ગરબાડાવાલા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા. સઘન સારવારને કારણે તેઓ કોરોનાથી મુક્ત થતાં આ બન્નેને હોસ્પિટલમાંથી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.
#Sindhuuday Dahod