નડિયાદ પાસે કાર ચાલકે ગફલતભરી રીતે ચલાવી વરઘોડામાં હાજર લોકોને અડફેટે લીધા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના માઘરોલી ગામ ચૌલક્રીયાના વરઘોડામાં કાર ધસી આવતા ૭ લોકોને ઝપેટમાં લિધા હતાં આ બનાવ મામલે ચકલાસી પોલીસમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના માંઘરોલી ગામે રહેતા સરસ્વતીબેન ભરતભાઇ પરમાર ગઇકાલે તેમના કુટુંબી વિજયભાઇ મેલાભાઈ પરમારના પુત્રની ચૌલક્રીયામા વરઘોડાનું આયોજન કરેલ હતો. આ વરઘોડો ગામમાથી નીકાળી ભાથીજી મંદીરે સંતરામપુરા ખાતે જતા હતા. તે વખતે આવેલ હરસિધ્ધી માતાના મંદીર આગળ રસ્તામાં દર્શન કરવા માટે આ વરઘોડો રોકાયેલ હતો. ત્યારે એક કાર ચાલકે ગફલતભરી રીતે ચલાવી વરઘોડામાં હાજર લોકોને અડફેટે લીધા જેમાં ૭ લોકોને નાની મોટી ઈજઓ પહોંચી હતી.
અકસ્માત બાદ બે ૧૦૮ મારફતે ઘાયલોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

