ફતેપુરાના સરસ્વાપુર્વ ગામે કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સરસ્વાપુર્વ ગામે મકાઈના ખેતરમાં લાગેલ વીજ કરંટથી એક ૩૫ વર્ષિય યુવકનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ગત તા.૧૯મી જાન્યુઆરીના રોજ ફતેપુરાના સરસ્વાપુર્વ ગામે સુવર ફળિયામાં રહેતાં રવીન્દ્રભાઈ વરસીંગભાઈ સુવર તથા તેમની સાથે તેમના મિત્રો પોતાના વિસ્તારમાં આવેલ મકાઈના ખેતરમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક મકાઈના ખેતરમાં લગાડેલ ઈલેક્ટ્રીક વાયરને રવીન્દ્રભાઈ અકસ્માતે અડી જતાં રવીન્દ્રભાઈને શરીરે સખ્ત વીજ કરંટ લાગ્યો હતો જેને પગલે તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતક રવીન્દ્રભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં.

આ સંબંધે પ્રશાંતભાઈ વરસીંગભાઈ સુવરે સુખસર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!