ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે ૧૩ વર્ષીય વિદ્યાર્થીએ પોતાના મામાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી

દાહોદ તા.૦૧

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં રહેતાં ૧૩ વર્ષિય વિદ્યાર્થીએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગામે પોતાના મામાના ઘરે અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે ડુંગરા ફળિયામાં રહેતાં રાજુભાઈ જવસીંગભાઈ ગૌહરીનો ૧૩ વર્ષિય ભાણેજ ધર્મેશભાઈ દિલીપભાઈ પરમાર (રહે.વરઝર, માળી ફળિયા, તા.ભાભરા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) પોતાના મામાના ઘરે આવ્યો હતો ત્યારે ગત તા.૩૦મી જાન્યુઆરીના રોજ ૧૩ વર્ષિય ધર્મેશભાઈએ પોતાના મામાના ઘરે અગમ્યકારણોસર ગળામાં ટુવાલ બાંધી મેડીના લાકડાની સરી (સરૂ) એ ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ મૃતક ૧૩ વર્ષિય વિદ્યાર્થી ધર્મેશભાઈના પરિવારજનોને કરવામાં આવતાં મધ્યપ્રદેશથી તેઓ પણ મૃતક કિશોરના મામાના ઘરે દોડી આવ્યાં હતાં. જ્યાં ૧૩ વર્ષિય કિશોરના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક કિશોર ધર્મેશભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં.

આ સંબંધે રાજુભાઈ જવસીંગભાઈ ગૌહરીએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!