દેવગઢ બારીઆના રેબારી ગામે મોટસાયકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકનું મોત નિપજ્યું

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે એક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૩ ફેબ્રુઆરીના રોજ દેવગઢ બારીઆના તોયણી ગામે ડામોર ફળિયામાં રહેતાં ગણપતભાઈ બળવંતભાઈ ડામોર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દેવગઢ બારીઆના રેબારી ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાની મોટરસાઈકલ હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ગણપતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સરદારભાઈ બળવંતભાઈ ડામોરે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!