દાહોદમાં આજે વધુ 33 કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ, તા.૩૧
દાહોદમાં આજે ૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં કોરોના પોઝીટીવનો દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૫૮૬ને પાર પહોંચી ચુક્યો છે અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૩૪૫ વટાવી ચુકી છે. મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૩૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ હાલ વધુ જાેવા મળી રહ્યું છે.
૧) ભાટીયા ઝેહરાબેન મુર્તુઝા (ઉવ.૩૬ રહે. સુજાઈ બાગ સકીના એપાર્ટમેન્ટ છઠ્ઠો માળ), ર) કુસુમબેન રમેશચંદ્ર શેઠ (ઉવ.૬૦ રહે. રામનગર સોસાયટી, દાહોદ), ૩) હિંમ્મતલાલ પિતાંબરદાસ ડાભી (ઉવ.૭૬ રહે. રામનગર સોસાયટી, દાહોદ), ૪)હાસનભાઈ નઝમ્મુદ્દીન મુલ્લામીઠાવાલા (ઉવ.૬૪ રહે.નજીમી મહોલ્લા, દાહોદ), પ) જ્યોતિબેન વસંતલાલ સોલંકી (ઉવ.૩૮ રામનગર સોસાયટી,દાહદ), ૬) વિદ્યાબેન વસંતલાલ સોલંકી (ઉવ.૬ર રહે. રામનગર સોસાયટી, દાહોદ), ૭) ઉપેન્દ્રકુમાર વસંતલાલ સોલંકી (ઉવ.૩૬ રહે. રામનગર, દાહોદ), ૮) વસંતલાલ રતનસીંઘ સોલંકી ઉ.વ.૭૦ રહે. રામનગર સોસાયટી, દાહોદ), ૯) શકુંતલાબેન નિલેશકુમાર પરમાર (ઉવ.૪૮ રહે. દરજી સોસાયટી, દાહોદ), ૧૦) દિલીપભાઈ વિરસીંગભાઈ કટારા (ઉવ.પ૦ રહે. જેસાવાડા, ગરબાડા), ૧૧) અકબર ફકરૂદ્દીન કુતારવડલીવાલા (ઉવ.પ૯ રહે. તૈયબી સોસાયટી, દાહોદ), ૧ર) દીપક રામપાલ ઠાકુર (ઉવ.ર૩ ઈન્દ્રોર હાઈવે ઓપ પેટ્રોલ પંપ), ૧૩) પ્રવીણ સબુરભાઈ ડામોર (ઉવ.ર૦ રહે. કાળાપીપળ, ભુરીયા ફળીયા), ૧૪) સૈખ અબ્દુલ કે (ઉવ.ર૬ રહે. શીવ રેસીડેન્સી પીપલોદ દેવ બારીયા), આ ૧૪ પોઝીટીવ દર્દીઓની સત્તાવાર માહિતી મળ્યાના કલાકના સમયગાળા દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા વધુ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓ વધુ આવ્યા હોવાના સમાચાર સાથે જ આજનો કુલ પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૩ ઉપર પહોંચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સેનેટરાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.
#Sindhuuday Dahod

