દાહોદના દેલસર ગામે ૨૬ વર્ષીય પરણિતાને વીજ કરંટ લાગતા પરણિતાનું મોત નિપજ્યું

દાહોદ તા.૦૯

દાહોદ તાલુકાના દેલસર ગામે એક 26 વર્ષીય પરિણીતાને કપડાં ધોતી વેળાએ લાઈટના થાંભલા નો કરંટ લાગતા પરણિતાનું મોત નિપજાનું જાણવા મળે છે.

દાહોદના દલસર ગામે દેવ ડુંગરી ફળિયામાં રહેતા 26 વર્ષીય પરણીતા ગીતાબેન રોહિતભાઈ ભુરીયા આઠમી મેના રોજ પોતાના ઘરની પાછળના ભાગે કપડાં ધોતા હતા તે સમયે ઘરની બાજુમાં આવેલ લાઈટના થાંભલાને ગીતાબેન અકસ્માતે અડી જતા ગીતાબેનને શરીરે સખત વીજ કરંજ લાગ્યો હતો. ના ને પગલે ગંભીર ઇજાગ્રસ્ત ગીતાબેન ને પરિવારજનો દ્વારા નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ગીતાબેન ને સારવાર મળે તે પહેલા જ દવાખાનાના તબીબોએ ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. પરણીતા ગીતાબેન ના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે રોહિતભાઈ શંકરભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!