દેવગઢ બારીઆના ઝાબ ગામે ૫૨ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરતાં મોત નીપજ્યું

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગોમ એક ૫૨ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરડતાં મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆના ઝાબ ગામે નિશાળ ફળિયામાં રહેતાં ૫૨ વર્ષિય શકરીબેન છત્રસિંહ બારીઆ ગત તા.૨૦મી મેના રોજ પોતાના ઘરે હાજર હતાં તે સમયે તેઓને ઝેરી સાંપે ડંખ મારતાં શકરીબેન બેભાન થઈ ગયાં હતાં. આ અંગેની જાણ શકરીબેનના પરિવારજનોને થતાં તેઓએ શકરીબેનને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયાં હતાં જ્યાં શકરીબેનને સારવાર મળે તે પહેલાં શકરીબેનનું મોત નીપજ્યું હતું. શકરીબેનને મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે વિપુલભાઈ છત્રસિંહ બારીઆએ સાગટાળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

11 thoughts on “દેવગઢ બારીઆના ઝાબ ગામે ૫૨ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરતાં મોત નીપજ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!