વડોદરામાં પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તથા તેમના પરિવારજનો વિરુદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ : દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકામાં રહેતી પરિણીતાને તેના પતિ તેમજ સાસરિયાઓ દ્વારા પરણિતાને દહેજની માંગણી કરી તેમજ સંતાન ન થતા હોવાના મહેણા પરણિતાને ઘરમાંથી કાઢી મૂકતા પરણીતા ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસના શરણે
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામે રહેતી અને વડોદરા ખાતે પરણાવેલ પરણિતાને તેના પતિ તથા સાસરી પક્ષના લોકો દ્વારા પરણિતા પાસે કહેજની માંગણી કરી તેમજ સંતાનો ન થતાં હોવાથી પરણિતાને મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજે આવેલ પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
પોતાના પિયરમાં ફતેપુરાના વાંગડ ગામે રહેતાં અને વડોદરા ખાતે પાવન પાર્ક સોસાયટી ખાતે લગ્ન કરેલ ઉષાબેન મનાભાઈ મુનીયાના લગ્ન તારીખ ૦૭.૦૫.૨૦૧૮ના રોજ વડોદરામાં પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં શૈલેષભાઈ કાનજીભાઈ ડામોર સાથે થયાં હતાં. લગ્નના બે વર્ષ જેટલું ઉષાબેનને પતિ તથા સાસરિયાઓ દ્વારા સારું રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પતિ શૈલેષભાઈ તથા સાસરીપક્ષના અંબાબેન કાનજીભાઈ ડામોર, વડોદરા ગ્રામ્ય હેડક્વાટર છાણીમાં ફરજ બજાવતાં કલ્પેશભાઈ કાનજીભાઈ ડામોર અને વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લીલાબેન કલ્પેશભાઈ ડામોર દ્વારા પરણિતા ઉષાબેનને શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી અવાર નવાર પરણિતા ઉષાબેન પાસે દહેજની માંગણી કરી બીજી પત્નિ લાવવા સારૂ પરણિતા ઉષાબેન સાથે ઝઘડો તકરાર કરી મારઝુડ પણ કરતાં હતાં અને ઉષાબેનને મેણા ટોણા મારી, તુ તો વાઝણી છે, તને બાળકો થતાં નથી, તેમ કહી ઘરમાંથી કાઢી મુકી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. પરણિતા ઉષાબેનને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા ઉષાબેન પોતાના પિયરમાં આવી પહોંચ્યાં હતાં અને જ્યાં દાહોદ મહિલા પોલીસ મથકે ઉષાબેન મનાભાઈ મુનીયાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.