લીમખેડાના દભડા ગામે કરિયાણા અને કટલરીની એક દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા ૭૭ હાજર ઉપરાંતની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે રેલવે સ્ટેશન ફળિયામાં એક વ્હોરા સમાજના વેપારીની બંધ દુકાનને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી કટર વડે દુકાનના મુખ્ય દરવાજાનું તાળું નકુચા સાથે તોડી નાખી દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી ગલ્લામાંની તેમજ દાન પેટીમાની રોકડ તથા દુકાનનો સામાન વગેરે મળી કુલ રૂપિયા ૭૭ હજાર ઉપરાંતની મત્તા ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ શહેરના મૂળ રહેવાસી અને હાલ લીમખેડાના દાભડા ગામે રેલવે સ્ટેશન ફળિયામાં રહેતા અને કરિયાણા તથા કટલરીની દુકાન ચલાવતા કાઈદ જાેહર હસનઅલી લીમડીવાલા ગત તારીખ ૧૦મી જૂન ના રોજ કોઈ પ્રસંગે દાહોદ ખાતે આવ્યા હતા. તે તકનો લાભ લઈ તસ્કરોએ તે દિવસે રાત્રિના સમયે કાઈદ જાેહર લીમડીવાલાની બંધ કરો દુકાનને નિશાન બનાવી દુકાનના મુખ્ય દરવાજાનું તાળું નકુચા સાથે કટર મશીન વડે તોડી નાખી, સેન્ટર લોક કાપી નાખી અંદરની ચેનલ ગેટના તાળા તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. અને ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને ઊંધા ફેરવી દઈ ડીવીઆર બોક્સના વાયરો કાપી નાખ્યા હતા. ડી.વી.આર ડિવાઇસ અને હાર્ડ ડિસ્કની સાથે સાથે દુકાનમાં મુકેલ ગલ્લો તોડી તેમાંની રોકડ તેમજ વ્હોરા સમાજની દાનપેટીમાંથી રોકડ તેમજ દુકાનમાં મુકેલ તેલના ડબ્બા, કાજુ, બદામ, ચ્હા, કપડા, ચાર્જિંગ બેટરી સહિતની ચીજ વસ્તુઓ વગેરે મળી દુકાનમાંથી કુલ રૂપિયા ૭૭,૪૫૦/ -ની મત્તા તસ્કરો ચોરીને લઈ ગયા હતા બીજે દિવસે સવારે દુકાનની બાજુમાં રહેતા પાડોશીએ કાઈદ જાેહર લીમડીવાલાને દુકાનના તાળા તૂટેલા હોવાની ફોન પર જાણ કરતા કાઈદ જાેહર તાબડતોબ દાભડા ગામે પોતાની દુકાને આવી જાેતા દુકાનનો માલ સામાન વેરવિખેર પડેલો જાેવા મળ્યો હતો જેથી તેઓએ આ અંગેની જાણ લીમખેડા પોલીસને કરી હતી. જેથી લીમખેડા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સંબંધે દાભડા ગામના રેલ્વે સ્ટેશન ફળિયામાં રહેતા કાઈદ જાેહર હસનઅલી લીમડીવાલાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડ તથા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદની માગણી કરી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ વેપારીની આ જ દુકાનમાં નવમી વખત ચોરી થઈ છે. આ અગાઉ આઠ જેટલી વાર ચોરી થઈ હતી તેમાંથી માત્ર બેજ વખત ફરિયાદ નોંધાવી હતી જ્યારે સાત વાર દુકાનદાર વેપારી કાઈદ જાેહર લીમડીવાલાએ પોલીસમાં ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.