દાહોદના કાળી તળાઈ ગામે ૧૯ વર્ષિય યુવકે અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
દાહોદ તા.૧૬
દાહોદના કલીતળાઈ ગામે એક ૧૯ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
દાહોદના કાળીતળાઈ ગામે આજરોજ ગામમાં રહેતા એક ૧૯ વર્ષીય યુવકે ગામ આવેલ ઝાડ સાથે દોરડું બાંધી અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજાણો તેમજ ગ્રામજનોને થતા તમામ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ છવાઈ ગઈ હતી. મૃતક યુવકનું નામ લક્ષ્મણભાઈ નારુંભાઈ દેવદા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગઈ હતી. સ્થળ પરથી એક મોબાઈલ ફોન, રૂમાલ અને થેલીમાં ચપ્પલ મળી આવ્યાં હતાં. પોલીસે મૃતક લક્ષ્મણભાઈના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતરી નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.