આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત ૭૫ યોગ શિબિરો તેમજ યોગ સ્પર્ધાઓનું આયોજન કરાશે : દાહોદમાં તારીખ ૧૬ જુન થી ૨૧ જુન દરમ્યાન યોગ સપ્તાહ ઉજવણી કરાશે


દાહોદ તા.૧૬

આયુષ મિનિસ્ટ્રી, નવી દિલ્હી તથા નિયામકશ્રી આયુષની કચેરી આરોગ્ય અને ૫-ક વિભાગ ગાંધીનગર નિર્દેશિત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દાહોદ માર્ગદર્શિત અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દાહોદ પ્રેરિત આયુષ ટીમ દાહોદ દ્વારા ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમો-યોગશિબિરો-યોગ સ્પર્ધાઓનું ૭૫ જુદી જુદી જગ્યાઓ પર આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૬ જુન થી ૨૧ જુન દરમ્યાન યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષની થીમ “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ” ( One World One Health) ને ધ્યાને લઇ તમામ આયુષ દવાખાનાઓ, ગ્રામ પંચાયત વિસ્તાર, આંગણવાડી શાળાઓને આવરી લઇ અનેકવિધ આયોજનો કરવામાં આવેલ છે. આ યોગ સપ્તાહ ઉજવણી અંતર્ગત સુક્ષ્મ ક્રિયાઓ જેવી કે, સુર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ, યોગ દિવસ પ્રોટોકોલ તાલીમ, શાળાઓમાં યોગ સ્પર્ધા, યોગ દ્વારા સ્વાસ્થ્ય સંવર્ધન કેવી રીતે થાય તેની સમજ પ્રત્યક્ષ નિદર્શન કરીને આપવામાં આવનાર છે.

આ વર્ષે આયુષ મિનિસ્ટ્રી દ્વારા નવતર પહેલ કે જેની અંતર્ગત ૧૦ સિગ્નેચર એકટીવીટી બતાવેલ છે તે વિશે માહિતગાર કરવામાં આવશે જેમાં (૧) યોગ સંગમ (૨) યોગ બંધન (૩) યોગ પાર્ક (૪) યોગ સમાવેશ (૫) યોગ પ્રભાવ (૬) યોગ કનેક્ટ (૭) હરીત યોગ (૮) યોગ અનપ્લગ્સ (૯) યોગ મહાકુંભ અને (૧૦) સમ્યોગનો સમાવેશ થાય છે.

પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી જન્ય રોગો જેવા કે, ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, મેદસ્વીતાનું પ્રમાણ વધેલ છે. સાથે સાથે માનસિક રોગો જેવા કે, અનિદ્રા, ડિપ્રેશન ને કાબુમાં રાખવા યોગ એ ઉત્તમ ફળદાયી છે. તેથી જિલ્લા આયુષ ટીમ દાહોદ વતી જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ દાહોદવાસીઓને આ યોગ શિબિરોમાં જોડાવા અનુરોધ અને અપીલ કરેલ છે.

યોગ દ્વારા શરીર અને મનની તંદુરસ્તી જળવાય છે તેમજ સ્વાસ્થના સંવર્ધન સાથે જીવનમાં આનંદ અને સમૃદ્ધિ વધે છે, તેથી યોગાભ્યાસને રોજીંદા જીવનમાં અપનાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!