વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન હંગામી ધોરણે રદ

દાહોદ તા.૧૮

પુરીમાં રથયાત્રાના દરમ્યાન મુસાફરોની સંખ્યામાં વધારો જાેવા મળતાં પશ્ચિમ રેલ્વે દ્વારા તારીખ ૨૦ જુનથી તારીખ ૧૨ જુલાઈ સુધી વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન હંગામી ધોરણે રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પુર્વ તટીય રેલ્વેના પુરીમાં ૨૪ જૂન ૨૦૨૫ થી ૧૦ જુલાઈ ૨૦૨૫ના સમયગાળા દરમિયાન યોજાનારી રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની સંખ્યાને સમાવવા માટે પૂર્વ કોસ્ટ રેલ્વે માંગ મુજબ મેમુ રેક મોકલવાની યોજના ધરાવે છે. દાહોદ-વડોદરા વચ્ચે ચાલતી મેમુ વડોદરા-દાહોદ-વડોદરા મેમુ રેક મોકલવાને કારણે લગભગ ૨૩ દિવસ માટે રદ્દ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલ્વે મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. આ ટ્રેન નંબર ૬૯૨૩૩/૬૯૨૩૪ વડોદરા-દાહોદ-વડોદરા મેનુ તારીખ ૨૦ જૂન ૨૦૨૫ થી તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૫ સુધી રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!