દાહોદ જિલ્લામાં ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એમ.વાય. હાઈસ્કુલના સભાગૃહ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ : વહિવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ, યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો : ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી એમ.વાય.હાઈસ્કુલના સભાગૃહ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી


દાહોદ તા.૨૧

દાહોદમાં આવેલ એમ.વાય.હાઈસ્કુલના સભાગૃહ ખાતે “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો.

આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.

દિપ પ્રાગટ્ય કરવાની સાથે શરુ કરવામાં આવેલ આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા કહ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલ એક એવી અનન્ય ભેટ છે. જે આપણા શારીરિક અને માનસિક શાંતિ આપવાની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે. યોગથી સારી કોઈ કસરત નથી. યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે. જેથી તમામ લોકોએ તેને પોતાના રોજીંદા જીવનમાં વણી લેવું જોઈએ.

આ સાથે ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કરીને છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી. આ દરમ્યાન જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ હરદાસાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામાં, માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી શ્રી હિમાણીબેન શાહ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, દાહોદ મામલતદારશ્રી પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!