ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ૨૦૨૫-૨૬ હેઠળ દેવગઢ બારિયાની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃતિઓ કરાઈ


દાહોદ તા.૨૩

આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારના વિવિઘ વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજયના ર૧ જિલ્લાઓના આદિજાતિ લોકોને લાભાન્વિત કરવામાં આવશે.

ભારત સરકાર દેશના આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશકિતકરણ માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

જે પૈકી દાહોદ જિલ્લાના ૯ તાલુકાના ૫૧૨ ગામોના ૧૪,૪૩,૯૦૦ આદિજાતિ લોકોને લાભાન્વિત કરવાના ઉદ્દેશથી દાહોદ જિલ્લામાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જે અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ઘટક-૧ માં આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ ના પૂર્વ આયોજનના ભાગરૂપે બાળકો દ્વારા અનેકવિધ રંગબિરંગી બનાવેલ આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી હતી. જે આમંત્રણ પત્રિકા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવવા માટે બાળકોના વાલીઓને આપી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!