દાહોદ તાલુકામાં એક ટ્રકની અડફેટે મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યું

દાહોદ તા.૩૦

દાહોદ તાલુકામાં એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

દાહોદના વરમખેડા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ૨૬ વર્ષિય સુનિલભાઈ સલીમભાઈ પરમાર ગત તા.૨૮મી જુનના રોજ દાહોદ તાલુકામાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુનિલભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં સુનિલભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે સુનિલભાઈને શરીરે. હાથે પગે તેમજ ગુપ્તાંગના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત સુનિલભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સુનિલભાઈનું મોત નીપજતાં આ સંબંધે હીમરાજભાઈ બચુભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!