દાહોદ શહેરમાં એસટી બસોની ઝડપમાં નિયંત્રણ રાખવા માટે આમ આદમી પાર્ટી, દાહોદ દ્વારા દાહોદના બસ ડેપોના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ તા.૩૦

દાહોદ શહેરમાં એસટી બસો દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી માર્ગ અકસ્માતો સર્જાયા છે. જેને પગલે આ મામલે આમ આદમી પાર્ટી, દાહોદ દ્વારા દાહોદના બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી દાહોદમાં બસોની ઝડપ પર નિયંત્રણ રાખવા માટે રજુઆત કરવામાં આવી હતી.

દાહોદ શહેરમાં એસટી બસોના ચાલકો છેલ્લા કેટલાંક દિવસોથી બેફામ બન્યાં છે જેને પગલે દાહોદ શહેરમાં એસટી બસોના માધ્યમથી ત્રણથી ચાર માર્ગ અકસ્માતોના બનાવો પણ બની ચુક્યાં છે. જેમાં ગતરોજ એક નિર્દાેષ મોટરસાઈકલના ચાલકે જીવ પણ ગુમાવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટી, દાહોદ દ્વારા દાહોદના બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, આ મહિનાની અંદર દાહોદમાં બસ દ્વારા બેથી ત્રણ જેટલા માર્ગ અકસ્માતોની ઘટના બનેલ છે જેમાં મૃત્યુની પણ ઘટના ઘટેલ છે. જેથી માત્ર બસો દાહોદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે એની ઝડપ પર નિયંત્રણ રાખવામાં આવે અને શહેરી વિસ્તારમાં જેમ તેમ ચલાવવામાં ના આવે તે મામલે એસટી બસોના ડ્રાઈવરોને જાણ કરી જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવે તે માટેની આમ આદમી પાર્ટી, દાહોદ દ્વારા દાહોદ બસ ડેપોના મેનેજરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!