દેવગઢ બારીઆના લવારીયા ગામે જુના ઝઘડાની અદાવતે ચાર ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે જુના ઝઘડાની અદાવત રાખી ચાર ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

દેવગઢ બારીઆના લવારીયા ગામે તલાવડી ફળિયામાં રહેતાં વનરાજભાઈ બારીઆ ગત તા.૧૧મી જુલાઈના રોજ પોતાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ગામમાં રહેતાં પુરોહીતભાઈ ભોપતભાઈ, સામંતભાઈ બાબુભાઈ, અરવિંદભાઈ બકાભાઈ ત્રણેય જાતે બારીઆ તથા હસમુખબાઈ કોયાભાઈઓ અર્જુનભાઈ પાસે આવ્યાં હતાં અને જુના ઝઘડાની અદાવત રાખી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તુ જુના ઝઘડાની અદાવત રાખી પોલીસમાં ખોટી ખોટી ફરીયાદો કેમ કરે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત ચારેય ઈસમો વનરાજભાઈને ગડદાપાટ્ટુનો માર મારતાં હતાં તે સમયે વનરાજભાઈના ભાઈ સર્જનભાઈ બારીઆ ત્યાં આવી પહોંચ્યાં હતાં અને સર્જનભાઈને પણ ઉપરોક્ત ચારેય ઈસમોએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી બંન્ને ભાઈઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સર્જનભાઈ લક્ષ્મણભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!