ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર ફતેપુરા ને આવેદન પત્ર આપવામાં આવ્યું


દાહોદ તા.૧૫

ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સળગતા મુદ્દાઓ અને બંધારણના અનુચ્છેદ 3 (A, B, C, D) હેઠળ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના સરહદી વિસ્તારોને જોડીને ‘ભીલપ્રદેશ રાજ્ય’ ની રચના તેમજ “આદિવાસીઓ 20 લાખ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં રહેતા શિકારી-ખોરાક ભેગી કરનાર માનવ જૂથના વંશજ છે.” વિંધ્યાચલ-સતપુરા અરવલ્લી પર્વતમાળા, બેલન નદીની ખીણ, ભીમબેટકા અને સાબરમતી નદીના તટપ્રદેશમાં અનુક્રમે પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે. ભારતની આ મૂળ સંસ્કૃતિના રક્ષણ માટે ‘ભીલપ્રદેશ રાજ્ય’ ની રચના જરૂરી છે. ઐતિહાસિક સમયમાં, યહૂદીઓ, ગ્રીકો, ઈરાનીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અહીં સ્થાયી થયા. આ કારણોસર, ભારતની મૂળ સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, ધર્મના અસ્તિત્વને બચાવવા માટે, ભીલ સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસિક ક્ષેત્રને જોડીને ‘ભીલપ્રદેશ રાજ્ય’ ની રચના થવી જોઈતી હતી અને સમગ્ર વિસ્તારને ચાર રાજ્યોમાં વિભાજિત કરવામાં આવવો જોઈતો હતો, પરંતુ સ્વતંત્રતા પછી આવું થયું નથી. ‘ભીલ પ્રદેશ રાજ્ય’નો પ્રસ્તાવ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની વિધાનસભાઓમાં પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવો. સંત સતિ સુરમલ થી ચાલી આવી રહેલ ભીલ પ્રદેશની માંગ 1886 માં બ્રિટિશ સરકાર દ્વારા જે ભીલ કન્ટ્રી તરીકે જાહેર કરેલ તે ચાર રાજ્યો ગુજરાત, રાજસ્થાન ,મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર ના ભીલો એકઠા થઈ ભીલરાજની માંગ સાથે ગોવિંદ ગુરુએ માનગઢ ખાતે આંદોલન કરેલું જ્યાં 1507 ભીલો શહીદ થયા ત્યારબાદ સાંસદ દિલીપસિંહ ભુરીયા , સોમજીભાઈ ડામોર તેમજ છોટુભાઈ વસાવા દ્વારા ભીલીસ્તાન ની માંગ કરેલી, ચાર રાજ્યો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ના આદિવાસી વિસ્તાર ભીલ પ્રદેશમાં આદિવાસી રીત રિવાજ રહેણી કેણી બોલી ભાષા ખાણ ખનીજ પાણી નદીઓ સચવાઈ રહે તે માટે ભીલ પ્રદેશ અલગ રાજ્ય ની માંગ ને આદિવાસી પરિવાર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દર વર્ષે ૧૫ જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ ,મુખ્યમંત્રી ,ગૃહમંત્રી ને આવેદનપત્ર પાઠવ્યું

One thought on “ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર ફતેપુરા ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!