દાહોદ જિલ્લામાંથી બે સ્થળોએથી ફરી ત્રણ મોટરસાઈકલ ચોરાયાંની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના ઝાલોદ અને દાહોદ તાલુકામાંથી મળી કુલ ૦૩ મોટરસાઈકલોની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.

ઝાલોદ તાલુકાના માંડલીખુંટા ગામે રહેતાં સંજયભાઈ કનૈયાલાલ ગારીની અને કાળીદાસભાઈ અમરસીંગબાઈ બારીયાની ગત તા.૧૧મી જુનના રોજ ઝાલાદે સરકારી દવાખાનાની આગળ લોક મારેલ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંજયભાઈ કનૈયાલાલ ગારીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજાે બનાવ દાહોદ શહેરના બુરહાની સોસાયટી, પ્રાંત અધિકારીની ઓફિસની બાજુમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી જુનના રોજ આજ વિસ્તારમાં રહેતાં કલીમુદ્દીન અસગરઅલી કુવાઝરવાલાએ પોતાનું મોપેડ ટુ વ્હીલર વાહન પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કર્યું હતું. આ મોપેડ ટું વ્હીલર ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમો પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કલીમુદ્દીન અસગરઅલી કુવાઝરવાલાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!