૧૦ મી જુલાઇ ૨૦૨૧ જાહેર રજાના દિવસે ભવ્ય નેશનલ લોકઅદાલતનું આયોજન
દાહોદ તા.૩૦
આથી દાહોદ જીલ્લાના રહેવાસીઓને તથા લાગતાં વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે , (૧) નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ ન્યુ દિલ્લી ના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળ માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ , જિલ્લા અદાલત દોહોદનાં અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ (૧) દેવગઢ બારીયા (૨) લીમખેડા (૩) ઝાલોદ (૪) ગરબાડા (૫) ધાનપુર (૬) ફતેપુરા (૭) સંજેલી કોર્ટોમાં ૧૦-૦૭-૨૦૨૧ નાં શનિવારના રોજ સવારના ૧૦ઃ૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં દાહોદ જીલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા (૧) ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો (૨) નેગીશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો (૩) બેન્ક રિકવરી વળતરના કેસો (૪) વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો (૫) કૌૈટુબીક તથા લગ્ન જીવનને લાગતા કેસો (૬) શ્રમયોગી સિવાયના કેસો (૭) જમીન સંપાદન હેઠળના કેસો (૮) વીજળી તથા લાઇટ બીલના કેસો (૯)દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધીત , બેન્ક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.વધુમાં ઉપરોક્ત જણાવેલ કેસોમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવા ઇચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્તકાલીક અરજી કરવી જેથી સામા પક્ષકારોને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય.પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોમાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલશ્રીએ સંબંધીત કોર્ટમાં આપના કેસ તારીખ ૧૦-૦૭-૨૦૨૧ (શનિવાર) ના રોજ આયોજીત રાષ્ટ્રીય લોકઅદાલત માં મુકવા સંપર્ક કરી શકો છો.લોક અદાલતમાં કેસોને ઝડપી નિકાલ અને વળતર અરજીના કિસ્સામાં અરજદારોને વળતરના નાણાં ઝડપથી મળે છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોકઅદાલતમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો મુકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ.વકીલઓને તથા નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે.૧૦ મી જુલાઇ ૨૦૨૧ જાહેર રજાના દિવસે ભવ્ય નેશનલ લોકઅદાલતનું આયોજન

