દેવગઢ બારીયાના અસાયાડી ગામે લેલન ગાડીના ચાલકે પેસેન્જર ભરેલ છકડાને ટક્કર મારતાં છકડામાં સવાર પેસેન્જરોને ઇજા પહોંચી : એકનું મોત નિપજ્યું

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અસાયાડી ગામે એક અશોક લેલન ગાડીના ચાલકે એક પેસેન્જર ભરેલ છકડાને અડફેટમાં લેતા છકડામાં સવાર પેસેન્જરો પૈકી એકનું મોત નિપજયાનું જાણવા મળે છે.

ગત તારીખ ૦૯મી મે ના રોજ દેવગઢ બારીયાના અસયાડી ગામેથી પસાર થતાં ઓવરબ્રીજ પાસેથી એક અશોક લેલન ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી એક પેસેન્જર ભરેલ છકડો પસાર થતાં અશોક લેલન ગાડીના ચાલકે પેસેન્જર ભરેલ છકડાને અડફેટમાં લેતા છકડામાં સવાર પેસેન્જરોને ઇજાઓ પોહચી હતી જે પૈકી યોગેન્દ્રકુમાર રમેશભાઈ કોળી (રહે. ભથવાડા, ભૂતિયા દાણી ફળિયું, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ) ને શરીરે, હાથે, પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

આ સંબંધે રમેશભાઈ કેશરસિંહ કોળીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!