દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખાતે ફટાકડા ફોડવા મામલે થયેલ ઝઘડામાં ત્રણ ઈસમોએ બેને ફટકાર્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૯

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં ફટાકડા ફોરવા બાબતે થયેલ બોલાચાલીમાં ચારથી પાંચ જણાને ત્રણ ઈસમોએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા. ૨૬મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ પરેલના ધોબીઘાટ વિસ્તારમાં વિશાલભાઈ અને સુનિલભાઈ ફટાકડા ફોડતાં હતાં તે સમયે ત્યાં કાજુભાઈ ફતીયાભાઈ સંગાડા, કલ્પેશભાઈ કાજુભાઈ સંગાડા અને સંજયભાઈ નિતેષભાઈ બીલવાળનાઓ હાથમાં લાકડીઓ લઈ આવી વિશાલભાઈ અને સુનિલભાઈને બેફામ ગાળો બોલી, ફટાકડા ફોડવા બાબતે ઝઘડો તકરાર કર્યાેં હતો અને એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી વિશાલભાઈ તથા સુનિલભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે દાહોદ તાલુકાના રાબડાળ ગામે ક્રોસીંગ વિસ્તાર ખાતે રહેતાં સાવિત્રીબેન સુનીલભાઈ પરમારે દાહોદ એ. ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!