દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બે પૈકી એકનું મોત

SINDHUUDAY NEWS – DAHOD

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ગત તા.૧૦મી નવેમ્બરના રોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રકને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પ્રતાપપુરા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે રાજપુર ફળિયામાં રહેતાં મિનેષભાઈ તથા તેમની સાથે દિલીપભાઈને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મિનેષભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે દિલીપભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

આ સંબંધે મુણધા ગામે રાજપુર ફળિયામાં રહેતાં રાજેશભાઈ કડવાભાઈ સંગાડાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!