પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- મોટી ખરજ ખાતે કાર્યક્રમ યોજાયો
સિંધુ ઉદય
પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગત રોજ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- મોટી ખરજ ખાતે જીલ્લા રક્તપિત્ત અધિકારી(ઈન્ચાર્જ/જીલ્લા ક્ષય અધિકારી) ડૉ. આર.ડી.પહાડીયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ ટી.બી. પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ તથા પેશન્ટોની વચ્ચે ગ્રુપ મીટીંગ કરવામાં આવી હતી. આ મીટીંગમાં કુલ ૨૩ ટી.બી.ના દર્દીઓ હાજર રહેલ હતા તથા ૨૩ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ અનીલ ડાભી , ડૉ હેતલ, આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો. આ કાર્યક્રમમાં ડો.અનીલ તથા ડો. હેતલ દ્વારા દર્દીઓને દવા નિયમિત લેવાની, સમય સર ગળફાની તપાસ કરાવવી, દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું હતું. સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી, ગુજરાત સરકાર ની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી, દર્દીના ઘરના અન્ય સભ્યો ને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું , દર્દીના ઘરમાં 0-6 વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ.એન. એચ નામની દવા બાળક ના વજન પ્રમાણે કુલ 06મહીના સુધી બાળક ને આપવાની થાય છે જેથી કરીને બાળક ને ટીબી નો ચેપ ન લાગે,દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો ડોટ્સ પ્રોવાઈડર ને કોઈ તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું. જો ટીબીનો દર્દી ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી સાથે સારવાર લેતો હોય તો તેના ઘર ના અન્ય સભ્યો ને ૩ આર એચ નામની ટેબલેટ ૩ મહીના સુધી લેવા માટે સમજાવવામાં આવ્યુ હતું. જેથી કરી ને ઘર ના અન્ય સભ્યોને પણ ટીબી નો ચેપ ન લાગે તેવી સલાહ આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીખરજના સ્ટાફ દ્વારા દર્દીઓને કીટ આપવામાં આવી હતી.


