દાહોદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી 16મી રથ યાત્રા નીકળી.

નીલ ડોડીયાર

દાહોદ તા.૨૦

દાહોદમાં આજે ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યાં હતાં. દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલા રણછોડરાય મંદિર ખાતેથી વહેલી સવારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, કલેક્ટર ર્ડા. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક બલરામ મીણા, એએસપી જગદીશ બાંગરવા નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્તિથીમાં ભગવાનની આરતી ઉતારી પહિન્દ વિધિ કર્યા બાદ દોરડો ખેંચી આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે બાદ આ રથયાત્રા રણછોડરાય મંદિરથી નીકળી એપીએમસી ગેટ, બહારપુરા, પડાવ, નેતાજી બજાર, દોલતગંજ બજાર, સોનીવાડ ખાતેના મંદિરે મોસાળમાં ૧ કલાકના વિશ્રામ બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ફરીથી નગર ચર્યાએ નીકળ્યાં હતાં જેમાં મંડાવ ચોકડી, ગોવિંદનગર, માણેક ચોક, ભગિની સમાજ, તળાવ ચોક, એમજીરોડ થઈ ગાંધીચોક થઈ હનુમાન બજાર ખાતે આવેલા નિજ મંદિરે પરત ફરી હતી. આ સમગ્ર રથયાત્રાના રૂટ પર સેવાભાવી ભક્તો દ્રારા ખાણી પીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યાં હતાં જેમાં ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમાંય મુસ્લિમ અને વ્હોરા સમાજ દ્વારા પણ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો બીજી તરફ પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકશાન પહોંચતું હોવાથી આ વખતે રથયાત્રા દરમિયાન પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ બનાવટની પ્લેટો ગ્લાસોમાં ખાણી પીણીની વસ્તુ પીરસવા માટે ભાર મુકવામાં આવ્યો હતો. રથયાત્રામાં મહિલાઓના રાશ ગરબાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું તો બીજી તરફ અખાડા, કરાટે, અનેક વેશભુષા સહિત ઢોલ નગારાના તાલે ભગવાશ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમાં નીકળી હતી.રથયાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ જાેડાયા હતાં. રથયાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો. દાહોદમાં આમતો તમામ ધાર્મિક તહેવારો કોમી એકતા તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય છે તેમાંય ખાસ કરીને રથયાત્રામાં તો મુસ્લિમ અને વહોરા સમાજ દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે જે કોમી એકતાની અનોખી મિશાલ પણ છે જાેકે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ રથયાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દાહોદ પોલીસ દ્વારા ૫૨૩ જેટલા પોલીસ કર્મીઓની ફોજ આ રથયાત્રાના બંદોબસ્તમાં ફાળવી દેવામાં આવી હતી જેમાં ફિક્સ પોઇન્ટ ટ્રાફિક પોઇન્ટ શોભાયાત્રા સાથે પૂસીન્ગ સ્કવોડ ધાબા પોઇન્ટ ડીપ પોઇન્ટ મોર્ચા સ્કવોડ મોબાઈલ પેટ્રોલિંગ પોલીસ સ્ટેશન ખાતે રિઝર્વ પોલીસ કર્મીઓ સહીત જુદી જુદી સ્કવોડની રચના કરવામાં આવી હતી જેમાં ૧ એએસપી ૨ પીઆઈ ૧૫ પીએસઆઈ ૧૮૬ પોલીસ કર્મીઓ ૧૯ એસઆરપી ના જવાનો ૫૫ તાલીમાર્થી એલઆરડી ના જવાનો ૧૪૪ હોમગાર્ડ તેમજ ૧૦૧ જેટલા ટીઆરબી જવાનો મળી કુલ ૫૨૩ જેટલા પોલીસ કર્મીઓના શિરે રથયાત્રા સંપન્ન કરાવવાની જવાબદારી સોંપવામાં આળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!