દાહોદ રેલ્વે સ્ટેશન નજીક ગુડ્સટ્રેન નીચે પડતુ મુકી યુવકે આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ શહેરના કામળિયાવાડ વિસ્તારમાં રહેતા રજતકુમાર શાહ એ અગમ્ય કારણોસર રાત્રિના સમયે દાહોદ રેલવે સ્ટેશન નજીક ગુડ્સટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી,  બનાવની જાણ રેલવે પોલીસને થતા રેલ્વે પોલીસ  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવની જાણ મૃતકના પરીજનોને કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, બનાવ સંદર્ભે રેલ્વે પોલીસે આગળની  કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની લાશને પી.એમ.માટે દાહોદ સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી, યુવકની આત્મહત્યાને લઇને શહેરીજનોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. રેલ્વે પોલીસે પરીજનનોની ફરીયાદ  ના આધારે અકસ્માત મોતની ફરીયાદ નોધી યુવકે આત્મહત્યા કયા કારણસર કરી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!