ધાનપુરના પીપેરો ગામેથી લગ્નની લાલચે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી જતો યુવક

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામેથી એક યુવકે એક ૧૬ વર્ષિય સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૨૬મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ધાનપુરના પીપેરો ગામે ગણાવા ફળિયામાં રહેતો રણજીતભાઈ કેશરસીંગ ગણાવાએ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પટાવી ફોસલાવી રણજીતભાઈએ ૧૬ વર્ષિય સગીરાને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળવની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!