દાહોદ શહેરમાં ૪૫ વર્ષીય પરણિતાએ પતિ તથા સાસરીયાઓના ત્રાસથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ તા.૦૮

દાહોદ શહેરમાં રહેતી એક ૪૦ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતા ઉપર અન્ય પુરૂષો સાથેના આડા સંબંધનો ખોટો શક, વહેમ રાખી પરણિતાને શારીરિક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં ગોવિંદનગર ખાતે રહેતાં ૪૦ વર્ષિય નિકીતાબેન અનુપભાઈ દોશીના લગ્ન તારીખ ૨૭.૦૧.૨૦૧૧ના રોજ દાહોદ શહેરમાં ગોદી રોડ ખાતે મહાવીરનગર સોસાયટીમાં રહેતાં અનુપભાઈ અશોકભાઈ દોશી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં ત્યારે લગ્નના થોડા સમય સુધી નિકીતાબેનને તેના પતિ અનુપભાઈ તથા સાસરી પક્ષના અશોકભાઈ ઝવેરીલાલ દોશી તથા પ્રેમીલાબેન અશોકભાઈ દોશીએ સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર પરણિતા નિકીતાબેન સાથે ઝઘડો તકરાર કરી અન્ય પુરૂષો સાથે આડા સંબંધ રાખતાં હોવાના ખોટા શક, વહેમ રાખી પતિ અનુપભાઈ દ્વારા પરણિતા નિકીતાબેનને મારઝુડ કરતો હતો અને છુટાછેડા આપવા માટે ધમકીઓ પણ આપતો હતો ત્યારે તેના આ સાથ સહકારમાં અશોકભાઈ અને પ્રેમીલાબેન પણ અનુપભાઈને ખોટી ચઢામણીઓ કરી પરણિતા નિકીતાબેન શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા નિકીતાબેન અનુપભાઈ દોશીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!