લીમખેડાના પાણીયા ગામે અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે પર ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું સારવાર દરમ્યા મોત
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામેથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે રોડ પર એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી ઈક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક નાસી જતાં મોટરસાઈકલના ચાલકનું ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
લીમખેડાના વડેલા ગામે મંદિર ફળિયામાં રહેતાં મહેન્દ્રભાઈ તેરસીંગભાઈ પટેલ ગત તા.૧૬મી જુનના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ લીમખેડાના પાણીયા ગામેથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મહેન્દ્રભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં મહેન્દ્રભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મહેન્દ્રભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન મહેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું. બીજી તરફ ઈક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ઈક્કો ફોર વ્હીલર ગાડી લઈ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ સંબંધે રતનસીંગભાઈ નવલસીંગભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.